amaz

Monday 11 December 2017

શ્રી ભ્રહ્માનંદ સ્વામી

2. શ્રી ભ્રહ્માનંદ સ્વામી 

:- રાજસ્થાન માં આબુ તળેટી માં ખાણ ગામ માં શભુંદાન ગઢવી ને ત્યાં તેમના ધર્મ પત્ની લાલબાના ઉદરે સં .૧૮૨૮ ના જેઢ સુદી ૮ ના રોજ જન્મેલા. લાડુ બારોટ ચારણ જ્ઞાતિ ના હતા .બચપણ થી જોડકણાં,દોહા અને સાખી નો છંદ લાગેલો .તેથી ઉદેપુર ના રાણા કહેવાથી કરછ માં પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો .વાકચતુરી અને કવિતા માં પ્રવીણતા મેળવી, પછી લાડુ બારોટ ને મોટા મોટા મહારાજાઓના નોતરાં આવતાં , તેમને મહારાજાનાય
મહારાજ શ્રી સહજાનંદ સ્વામી નું નોતરૃ મળ્યું ત્યારે જ અંતર માં ટાઢક થઈ . બધા જ સગપણો માં 'રે સગપણ હરિવર નું સાચું રે ' લાગતા , વડોદરા ના રાજકવી તરીકે ની આવક અને કીર્તિ ને ઠોકર મારી .
આ લાડુ બારોટ તે જ સ.ગુ.શ્રી ભ્રહ્માનંદ સ્વામી. ભક્તિ માં પાછળ ન રહેનાર ભ્રહ્માનંદ વ્યહાર માં પણ કાચા ન હતા .
તેઓ મન્દિર ના કામ માટે ચુનાની ચક્કી જાતે પીસી ને લોકો ને શ્રમ અને સેવા નો બોધ આપતા હતા .તો ચુનાની ચક્કી માં એક હાથે બળદ ની રાશ પકડી અને બીજા હાથે પુસ્તક રાખી વાંચતા હતા .અને જ્ઞાનપીપાસા સંતોષતા હતા .આવો જ્ઞાન અને કર્મ નો સુમેળ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય બીજે ક્યાં જોવા મળશે ?? એટલું જ નહીં પણ તેમને હનુમાન અને લક્ષ્મણ જેવા યતિ કહેવતા હતા . આવા મહાન સંત અને જ્ઞાની આઠ હજાર જેટલા કાવ્યો અને બાર ગ્રંથો તથા વડતાલ , મૂળી અને જૂનાગઠ ના ભવ્ય શિખર બધ્ધ ગગનચુબી મન્દિર નિર્માણ નો અમર વારસો મૂકી નાશવંત દેહ છોડી સં.૧૮૮૮ માં જેઢ સુદી ૧૦ ના રોજ અક્ષરધામ ને પંથે વિચર્યા



🙏 જય સ્વામિનારાયણ    #swamisthought 🙏