amaz

Friday 27 July 2018

#કાંટા_વીનાની_બોરડીના

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની #કાંટા_વીનાની_બોરડીના સુંદર દર્શન...
આ બોરડી ૧૮૬ વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ્કમ ના આમંત્રણને માન આપીને શ્રી સ્વામિનારાયણ ભગવાન સં. ૧૮૮૬ ના ફાગણ સુદ - ૫ તા. ૨૬-૦૨-૧૮૩૦ ના રોજ રાજકોટ પધારેલા. તે સમયે આ બોરડી નીચે સત્સંગ સભા ભરાઈ હતી. આ સત્સંગ સભામાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, સદ્દ. શ્રી ગોપાળાનંદ સ્વામી, અન્ય સંતો અને હરિભક્તો હાજર હતા. સર માલ્કમ સાથેની સભા પુરી થઇ, ગોપાળાનંદ સ્વામી ઉભા થયાં સ્વામી ઊંચા બઉ હતાં, એટલે સ્વામી ની પાઘ બોરડી ના કાંટા મા ફસાઇ ગઇ ત્યારે સદ્દ. ગોપાળાનંદ સ્વામીના મુખમાંથી અચાનક જ શબ્દો સારી પડયા " અરે બોરડી, સર્વ અવતારી સ્વામિનારાયણ ભગવાન નો તને સાક્ષાત સંબંધ થયો છતા તારો સ્વભાવ તે છોડયો નહિ. ધિક્કાર છે તને. આ શબ્દો સંભાળતા જ બોરડીના તમામ કાંટા ખરી પડયા. આજે પણ આ બોરડી જીવંત છે અને તેમાં એક પણ કાંટા નથી. સાયન્સ ક્યાં પંહોચ્યું પણ એ સાયન્સ આ બોરડી પર રિસર્ચ કરવાં સમર્થ નથી. વિજ્ઞાન નો એવો નિયમ છે કે કાંટા વાળા વૃક્ષો તેની શ્વાચ્છોશ્વાસ ની ક્રિયા કાંટા ના માધ્યમ થી કરે છે પણ ખબર નહિ આ બોરડીને એકેય કાંટો નથી. છતાંય આ બોરડી જીવંત છે..
આ બોરડી વૃક્ષ અત્યારે પણ '' બોર '' આપે છે #swamisthought