જે ભગવાનનો મહિમા અતિશે જાણતો હોય તેને તો આવી રીતે સમજાય ત્યારે ધર્મમાં રહેવાય જે
મારે તો અખંડ ભગવાનનું ચિંતવન કરીને એકાંતિક ભક્ત થાવું છે અને જો કામ, ક્રોધ-લોભાદિક વિકારને વિષે મારી વૃત્તિ જાશે તો મારે ભગવાનના ચિંતવનમાં એટલો વિક્ષેપ થાશે એમ જાણીને કુમાર્ગ થકી અતિશે જ ડરતો રહે અને અધર્મને વિષે કોઈ કાળે પ્રવર્તે જ નહિ, એવી રીતે સમજે તો ભગવાનનું માહાત્મ્ય અતિશે સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઈ કાળે પડે નહિ.
અને ભગવાનનું જે અખંડ ચિંતવન થાવું તે કાંઈ થોડી વાત નથી ને ભગવાનનું ચિંતવન કરતાં કરતાં જો દેહ મૂકે તો તે અતિ મોટી પદવીને પામે છે.
⊍ જય સ્વામિનારાયણ ⊍
No comments:
Post a Comment