amaz

Wednesday 8 March 2017

શ્રી સ્વામિનારાયણ ભગવાન નો સંક્ષેપ પરિચય – બાયોગ્રાફી:-

શ્રી સ્વામિનારાયણ ભગવાન નો સંક્ષેપ પરિચય – બાયોગ્રાફી:-

નામ : હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, નીલકંઠ વર્ણિ, ઘનશ્યામ, નારાયણ મુનિ, સહજાનંદ સ્વામી, શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ, વિગેરે
જન્મ : વિક્રમ સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ ૯, સોમવાર, તારીખ : ૦૨-૦૪-૧૭૮૧
જન્મસ્થળ : ઉત્તર ભારત – કોશલ દેશ – અયોધ્યા નજીક – છપૈયા ગામ (મામાનું ઘર)
વર્ણ : સરવરિયા બ્રાહ્મણ (સરયુપારિણ)
વેદ : સામવેદ
શાખા : કૌથમી
પિતાનું નામ : દેવશર્મા (ઉર્ફે હરિપ્રસાદ પાંડે, ધર્મદેવ)(બાલશર્મા અને ભાગ્યવતીના પુત્ર)
પિતાની જન્મ તિથી : વિક્રમ સંવત ૧૭૯૬ કાર્તિક સુદ ૧૧
પિતાનું જન્મસ્થળ : ઇટાર ગામ
માતાનું નામ : બાલા (ઉર્ફે પ્રેમવતી, ભક્તિમાતા) (કૃષ્ણશર્મા અને ભવાની ના પુત્રી)
માતાની જન્મ તિથી : વિક્રમ સંવત ૧૭૯૮ કાર્તિક સુદ ૧૫
માતાનું જન્મસ્થળ : છપૈયા
ભાઈ-ભાભી: રામપ્રતાપજી (સુવાસિની ભાભી) ઈચ્છારામજી(વરિયાળીબાઈ)
ગૃહત્યાગ દિવસ : અયોધ્યાથી ૧૧વર્ષ ૩માસ ૧દિવસની અલ્પવયે વિક્રમ સંવત ૧૮૪૯ અષાઢ સુદ-૧૦ની વહેલી સવારે
વન વિચરણ સમય : ૭ વર્ષ, ૧ માસ અને ૧૧ દિવસ
વન વિચરણ પૂર્ણ : વિક્રમ સંવત ૧૮૫૬, શ્રાવણ વદ ૬, લોજ ગામ, ગુજરાત
લોજ પધાર્યા તે સમયની ઉંમર : ૧૮ વર્ષ, ૪ માસ અને ૧૨ દિવસ
ગુરુ : ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી
દીક્ષા આપી : સદ્. શ્રી રામાનંદ સ્વામીએ
દીક્ષા સ્થળ : પીપલાણા, વિક્રમ સંવત ૧૮૫૭ કાર્તિક સુદ ૧૧
ઉદ્ધવ સંપ્રદાય(શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય) ની ધર્મધુરા સંભાળી : વિક્રમ સંવત ૧૮૫૮, કાર્તિક સુદ ૧૧, જેતપુર
સત્સંગમાં રહ્યા : ૩૦ વર્ષ, ૯ માસ અને ૧૯ દિવસ
સ્વધામ ગમન : વિક્રમ સંવત ૧૮૮૬, જેઠ સુદ ૧૦, ગઢપુર ધામ
પૃથ્વી પર રહ્યા : ૪૯ વર્ષ ૨ માસ અને ૧ દિવસ
પોતાની ધર્મધુરા બે ભાઈઓના શ્રેષ્ઠ પુત્રોને દત્તક લઈને સોંપી : વિક્રમ સંવત ૧૮૮૨, કાર્તિક સુદ ૧૧, વડતાલ ધામ
બંને આચાર્યોના નામ : આદિ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ (નરનારાયણ દેવ દેશ ઉત્તર વિભાગ)
આદિ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ (લક્ષ્મીનારાયણ દેવ દેશ દક્ષિણ વિભાગ)

No comments:

Post a Comment