amaz

Monday 11 December 2017

શ્રી ભ્રહ્માનંદ સ્વામી

2. શ્રી ભ્રહ્માનંદ સ્વામી 

:- રાજસ્થાન માં આબુ તળેટી માં ખાણ ગામ માં શભુંદાન ગઢવી ને ત્યાં તેમના ધર્મ પત્ની લાલબાના ઉદરે સં .૧૮૨૮ ના જેઢ સુદી ૮ ના રોજ જન્મેલા. લાડુ બારોટ ચારણ જ્ઞાતિ ના હતા .બચપણ થી જોડકણાં,દોહા અને સાખી નો છંદ લાગેલો .તેથી ઉદેપુર ના રાણા કહેવાથી કરછ માં પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો .વાકચતુરી અને કવિતા માં પ્રવીણતા મેળવી, પછી લાડુ બારોટ ને મોટા મોટા મહારાજાઓના નોતરાં આવતાં , તેમને મહારાજાનાય
મહારાજ શ્રી સહજાનંદ સ્વામી નું નોતરૃ મળ્યું ત્યારે જ અંતર માં ટાઢક થઈ . બધા જ સગપણો માં 'રે સગપણ હરિવર નું સાચું રે ' લાગતા , વડોદરા ના રાજકવી તરીકે ની આવક અને કીર્તિ ને ઠોકર મારી .
આ લાડુ બારોટ તે જ સ.ગુ.શ્રી ભ્રહ્માનંદ સ્વામી. ભક્તિ માં પાછળ ન રહેનાર ભ્રહ્માનંદ વ્યહાર માં પણ કાચા ન હતા .
તેઓ મન્દિર ના કામ માટે ચુનાની ચક્કી જાતે પીસી ને લોકો ને શ્રમ અને સેવા નો બોધ આપતા હતા .તો ચુનાની ચક્કી માં એક હાથે બળદ ની રાશ પકડી અને બીજા હાથે પુસ્તક રાખી વાંચતા હતા .અને જ્ઞાનપીપાસા સંતોષતા હતા .આવો જ્ઞાન અને કર્મ નો સુમેળ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય બીજે ક્યાં જોવા મળશે ?? એટલું જ નહીં પણ તેમને હનુમાન અને લક્ષ્મણ જેવા યતિ કહેવતા હતા . આવા મહાન સંત અને જ્ઞાની આઠ હજાર જેટલા કાવ્યો અને બાર ગ્રંથો તથા વડતાલ , મૂળી અને જૂનાગઠ ના ભવ્ય શિખર બધ્ધ ગગનચુબી મન્દિર નિર્માણ નો અમર વારસો મૂકી નાશવંત દેહ છોડી સં.૧૮૮૮ માં જેઢ સુદી ૧૦ ના રોજ અક્ષરધામ ને પંથે વિચર્યા



🙏 જય સ્વામિનારાયણ    #swamisthought 🙏

Thursday 8 June 2017

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૩

                                            લીલાચરિત્રને સંભારી રાખવાનું


સંવત્ ૧૮૭૬ ના માગશર સુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને સર્વને સંભારી રાખવા. તે શા સારુ જે, કદાપિ દેહ મુકયા સમે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિષે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય, તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી,સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.”


#swamisthought 

https://www.facebook.com/swamisthought

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૨


ત્રણ પ્રકારના વૈરાગ્યનું


સંવત્ ૧૮૭૬ ના માગશર સુદિ ૫ પંચમીને દિવસે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મયારામ ભટ્ટે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછયું જે, “હે મહારાજ ! ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય તેનાં શાં લક્ષણ છે તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાનાં પ્રારબ્ધકર્મ વશે કરીને વ્યવહારમાં રહે પણ તે વ્યવહારમાં જનકરાજાની પેઠે લોપાય નહિ અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહિ અને તેનો ત્યાગ મોળો ન પડે અને તે વિષયને વિષે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સતશાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે અને દેશ, કાળ, સંગ આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોળી પડે નહિ, તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય અને જો દેશ, કાળ, સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિષે બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને સામાન્ય અને દોષેયુક્ત એવા પંચવિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય અને જો સારા પંચવિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય, તેને મંદ વૈરાગ્યવાળો કહીએ.”

Thursday 11 May 2017

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૧

   
                                   મૂર્તિમાં અખંડવૃત્તિ – ધર્મકુળાશ્રિતની ધામગતિનું



સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૪ ચતુર્થીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે રાત્રિને સમે પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછયું જે, “સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે?” ત્યારે સર્વ બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે ઉત્તર કરીએ જે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડવૃતિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃતિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી, કાં જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણિ તુલ્ય છે. જેમ ચિંતામણિ કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડ વૃતિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ તેને પણ દેખે છે, માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃતિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.”
ત્યારપછી હરિભકત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછયું જે, “જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે?” પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “ભગવાનનો ભકત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ.”
પછી મુકતાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયું જે “ભગવાનનો ભકત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ”ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરૂડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે, તેને યોગસમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે.”
પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજીમહારાજને પૂછયું જે, “કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિષે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને ભગવાનનું માહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતિ નથી, કાં જે ‘અન્ય સ્થળ” ને વિષે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિષે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે
“अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति |
तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपो भविश्यति ||“
તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય.”
  
                                                          

                                                          



Tuesday 25 April 2017

~: દાદા ખાચર :~

~: દાદા ખાચર :~


ગઢડામાં એભલ ખાચરની જમીનના બે ભાગીદારો હતા. એક દાદા ખાચર અને બીજા જીવા ખાચર. બન્ને સહજાનંદ સ્વામીના પરમ ભક્તો. છતાં સ્વામીજીને દાદા ખાચર પ્રત્યે વધુ લાગણી હતી. જીવા ખાચરને ઘણી વાર થતું કે હું પણ દાદા ખાચર જેવી જ ભક્તિ કરું છું તો સ્વામીજી આવો ભેદ કેમ કરતા હશે ?
એકવાર સ્વામીજી એ બન્ને સાથે ધર્મવાર્તાલાપ કરતા હતા ત્યાં એકાએક વંટોળ આવ્યો. તેઓ સત્સંગ કરતા હતા તેની સમીપમાં માર્ગ પર કોઇ સાધુ રસોઇ કરતો હતો પણ પવનને કારણે ચૂલાનો અગ્નિ વારંવાર ઓલવાઇ જતો અને ધૂમાડો થતો. અગ્નિને ફૂંકી ફૂંકીને સાધુની આંખો લાલચોળ થઇ ગઇ હતી અને આંખમાંથી પાણી વહી જતું હતું.
સહજાનંદ સ્વામીએ આ જોયું એટલે જીવા ખાચરને કહ્યું- 'તમે આ સાધુઓને માટે કોઇ ધર્મશાળા બનાવી આપોને ?' જીવા ખાચરે કહ્યું- 'આવા તો કેટલાય સાધુઓ- વૈરાગીઓ રસ્તા પર ફરતા રહેતા હોય છે. એમને માટે ધર્મશાળા બનાવવા હું કંઇ નવરો નથી.
કેટલાને માટે બનાવવી ?'
એ પછી સહજાનંદ સ્વામીએ દાદા ખાચરને કહ્યું- 'તમને શું લાગે છે ? તમારી આ સાધુઓને માટે ધર્મશાળા બનાવવાની ઇચ્છા ખરી ?' દાદા ખાચરે તરત જવાબ આપ્યો- 'મહારાજ, એમાં ધર્મશાળા બંધાવવાની ક્યાં જરૃર છે ?' સ્વામીજીએ પૂછયું- 'કેમ, જરૃર નથી ?' દાદા ખાચરે કહ્યું-'ધર્મશાળા બંધાવા જેટલો સમય વીતાવવાની ક્યાં જરૃર છે ? હું મારું ઘર જ એમને આપી દઉં છું !'
સહજાનંદ સ્વામીએ કહ્યું- 'તમારું ઘર આપી દેશો તો તમે ક્યાં રહેશો ?' દાદા ખાચરે કહ્યું- 'હું તમારા ભેગો રહીશ ! બટકું રોટલો તો મળી જ રહેશે !' સહજાનંદ સ્વામીએ જીવા ! ખાચર તરફ જોયું અને કહ્યું- 'જીવા ખાચર, હવે તમને સમજાયું ને કે હું દાદા ખાચર પ્રત્યે કેમ વધુ પ્રેમભાવ ધરાવું છું ?
જીવા ખાચરે માથું નમાવીને કહ્યું- 'ખરું છે, મારા કરતાં દાદા ખાચરની ભક્તિ ચાર વેંત ઊંચી છે !'
⊍ જય સ્વામિનારાયણ ⊍

Tuesday 14 March 2017

જય સ્વામિનારાયણ....





એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી.
અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી.
ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ?
નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ આમછતા પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યુ તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ.
સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્વર્યજનક ઘટના જોઇ. કોઇ મોટા પર્વત પરથી શીલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શીલા રસ્તામાં આવતા નાના-મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શીલા અટકી ગઇ.
ચારે પાંડવોએ પરત આવીને એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રીકૃષ્ણને કરી અને એનો મતલબ સમજાવવા વીનંતી કરી. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ કે '"આ ચારે ઘટના કળયુગમાં કેવી સ્થિતી હશે તે બતાવે છે. સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દુર કરવાના બહાને એનું શોષણ કરશે. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા છતા બાજુમાં જ રહેલા કોરા કુવાને એક ટીપુ પાણી આપતા નહોતા એમ કળીયુગમાં અમીરોને ત્યાં સંપતિની રેલમછેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરીયાતમંદ વ્યક્તિઓને નહી આપે. ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાંખી તેમ કળયુગમાં મા-બાપ પોતાના સંતાનોને જરુરથી વધારે લાડલડાવીને માયકાંગલા કરી નાંખશે અને પોતાના જ સંતાનોને હાની પહોંચાડશે. પર્વત પરથી પડતી શીલાની જેમ કળીયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે. નીચે પડતા આ ચારીત્ર્યને બીજુ કોઇ નહી અટકાવી શકે પણ જો માત્ર પ્રભુના આશરા રૂપી કે સત્સંગ રૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે."
ચારે પાંડવોને કળીયુગમાં કેવી સ્થિતી હશે તે બરોબર સમજાય ગયુ.

Thursday 9 March 2017

⊍ જય સ્વામિનારાયણ ⊍

 
 
જે ભગવાનનો મહિમા અતિશે જાણતો હોય તેને તો આવી રીતે સમજાય ત્યારે ધર્મમાં રહેવાય જે
મારે તો અખંડ ભગવાનનું ચિંતવન કરીને એકાંતિક ભક્ત થાવું છે અને જો કામ, ક્રોધ-લોભાદિક વિકારને વિષે મારી વૃત્તિ જાશે તો મારે ભગવાનના ચિંતવનમાં એટલો વિક્ષેપ થાશે એમ જાણીને કુમાર્ગ થકી અતિશે જ ડરતો રહે અને અધર્મને વિષે કોઈ કાળે પ્રવર્તે જ નહિ, એવી રીતે સમજે તો ભગવાનનું માહાત્મ્ય અતિશે સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઈ કાળે પડે નહિ.
અને ભગવાનનું જે અખંડ ચિંતવન થાવું તે કાંઈ થોડી વાત નથી ને ભગવાનનું ચિંતવન કરતાં કરતાં જો દેહ મૂકે તો તે અતિ મોટી પદવીને પામે છે. ⊍ જય સ્વામિનારાયણ ⊍

Wednesday 8 March 2017

શ્રી સ્વામિનારાયણ ભગવાન નો સંક્ષેપ પરિચય – બાયોગ્રાફી:-

શ્રી સ્વામિનારાયણ ભગવાન નો સંક્ષેપ પરિચય – બાયોગ્રાફી:-

નામ : હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, નીલકંઠ વર્ણિ, ઘનશ્યામ, નારાયણ મુનિ, સહજાનંદ સ્વામી, શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ, વિગેરે
જન્મ : વિક્રમ સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ ૯, સોમવાર, તારીખ : ૦૨-૦૪-૧૭૮૧
જન્મસ્થળ : ઉત્તર ભારત – કોશલ દેશ – અયોધ્યા નજીક – છપૈયા ગામ (મામાનું ઘર)
વર્ણ : સરવરિયા બ્રાહ્મણ (સરયુપારિણ)
વેદ : સામવેદ
શાખા : કૌથમી
પિતાનું નામ : દેવશર્મા (ઉર્ફે હરિપ્રસાદ પાંડે, ધર્મદેવ)(બાલશર્મા અને ભાગ્યવતીના પુત્ર)
પિતાની જન્મ તિથી : વિક્રમ સંવત ૧૭૯૬ કાર્તિક સુદ ૧૧
પિતાનું જન્મસ્થળ : ઇટાર ગામ
માતાનું નામ : બાલા (ઉર્ફે પ્રેમવતી, ભક્તિમાતા) (કૃષ્ણશર્મા અને ભવાની ના પુત્રી)
માતાની જન્મ તિથી : વિક્રમ સંવત ૧૭૯૮ કાર્તિક સુદ ૧૫
માતાનું જન્મસ્થળ : છપૈયા
ભાઈ-ભાભી: રામપ્રતાપજી (સુવાસિની ભાભી) ઈચ્છારામજી(વરિયાળીબાઈ)
ગૃહત્યાગ દિવસ : અયોધ્યાથી ૧૧વર્ષ ૩માસ ૧દિવસની અલ્પવયે વિક્રમ સંવત ૧૮૪૯ અષાઢ સુદ-૧૦ની વહેલી સવારે
વન વિચરણ સમય : ૭ વર્ષ, ૧ માસ અને ૧૧ દિવસ
વન વિચરણ પૂર્ણ : વિક્રમ સંવત ૧૮૫૬, શ્રાવણ વદ ૬, લોજ ગામ, ગુજરાત
લોજ પધાર્યા તે સમયની ઉંમર : ૧૮ વર્ષ, ૪ માસ અને ૧૨ દિવસ
ગુરુ : ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી
દીક્ષા આપી : સદ્. શ્રી રામાનંદ સ્વામીએ
દીક્ષા સ્થળ : પીપલાણા, વિક્રમ સંવત ૧૮૫૭ કાર્તિક સુદ ૧૧
ઉદ્ધવ સંપ્રદાય(શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય) ની ધર્મધુરા સંભાળી : વિક્રમ સંવત ૧૮૫૮, કાર્તિક સુદ ૧૧, જેતપુર
સત્સંગમાં રહ્યા : ૩૦ વર્ષ, ૯ માસ અને ૧૯ દિવસ
સ્વધામ ગમન : વિક્રમ સંવત ૧૮૮૬, જેઠ સુદ ૧૦, ગઢપુર ધામ
પૃથ્વી પર રહ્યા : ૪૯ વર્ષ ૨ માસ અને ૧ દિવસ
પોતાની ધર્મધુરા બે ભાઈઓના શ્રેષ્ઠ પુત્રોને દત્તક લઈને સોંપી : વિક્રમ સંવત ૧૮૮૨, કાર્તિક સુદ ૧૧, વડતાલ ધામ
બંને આચાર્યોના નામ : આદિ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ (નરનારાયણ દેવ દેશ ઉત્તર વિભાગ)
આદિ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ (લક્ષ્મીનારાયણ દેવ દેશ દક્ષિણ વિભાગ)

Friday 27 January 2017

શિક્ષાપત્રી (शिक्षापत्री) - મંગળાચરણ Shlok 01 – 10



Bhagwan Shree Swaminarayan wrote “Shikshapatri” on Maha Sud 5 (Vasant Panchami), Sanvat 1882 (Monday, February 12, 1826 A.D.) in which he defined rules for his devotees to follow. There are 212 Sloks in Shikshapatri and is a tool of everlasting bliss and salvation for the people of all age and groups (Sants, Brahmacharis and Haribhakts). In the last Slok of Sikshapatri Shree Hari said “Everyone should read few sloks of this Sikshapatri every day, and if one cannot read he/she should listen to someone reading it and if that is not possible then he/she do pooja of it on daily basis.

Shikshapatri Shlok 1 ( શિક્ષાપત્રી શ્લોક ૧ )

Shikshapatri Shlok 2 ( શિક્ષાપત્રી શ્લોક ૨ )

અને વૃત્તાલય ગામને વિષે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે, તે અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. ||૨||

I Sahajanand Swami, write this Shikshapatri, Gospel of Life Divine, from Vadtal, to all my disciples who reside in different parts of the world ||2||

 

Shikshapatri Shlok 3 ( શિક્ષાપત્રી શ્લોક ૩ )

શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ નામે અને રઘુવીર નામે (જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિષે સ્થાપન કર્યા છે.) ||૩||

 Shree Dharmadev’s sons, Rampratapji and Icharamji, who are brothers, Rampratapji’s son Ayodhyaprasad and Icharamji’s son, Raghuvir; (whom I have adopted as my sons and established as the Acharyas of my disciples) ||3||

  

Shikshapatri Shlok 4 ( શિક્ષાપત્રી શ્લોક ૪ )

તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી. ||૪||

Mukundananda as a main & all “Naishthik Brahmcharis” (Brahmin celibates), and Mayaram Bhatt as a main & all my others Grihastas devotees; (householders)||4||

Shikshapatri Shlok 5 ( શિક્ષાપત્રી શ્લોક ૫ )

તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ. ||૫||

My disciples, all married women, widows as My devotees, and all Sadhus headed by Muktanand and others; Blessing||5||

 

 

 Shikshapatri Shlok 6 ( શિક્ષાપત્રી શ્લોક ૬ )

એ સર્વે-તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિષે પ્રમાણરૂપ અને શ્રીમન્નારાયણની સ્મૃ તિ એ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા. ||૬||

With remembrance of “Shreeman-Narayan”, all my diciples who are defendant of “Swadharma” (self religion) as per “Shastras” accept my ennobling blessings. ||6|| 

 

Shikshapatri Shlok 7 ( શિક્ષાપત્રી શ્લોક ૭ )

અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે, તે સર્વેના જીવને હિતની કરનારી છે. ||૭||
You all my devotees with concentration of mind think over the purpose of “Shikshapatri” written by me for the spiritual welfare of every soul, realize and follow. ||7|| 


Shikshapatri Shlok 8 ( શિક્ષાપત્રી શ્લોક ૮ ) 
અને શ્રીમદ્ ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિષે તથા પરલોકને વિષે મહાસુખિયા થાય છે. ||૮||

Those who will follow the Rules of Ethics as prescribed by the holy scriptures shall derive happiness in this world as well as in “Parlok”(after death, pleasure of abode of Lord, Moksha). ||8|| 

Shikshapatri Shlok 9 ( શિક્ષાપત્રી શ્લોક ૯ )

અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે, તે તો કુબુધ્ધિવાળા છે અને આ લોક ને પરલોકને વિષે નિશ્ચે મોટા કષ્ટને જ પામે છે. ||૯||

Those who will violate the Rules of Ethics and behave willfully, are evil minded and shall suffer great distress in this world as well as in “Parlok”(after death causing pain, go to hell). ||9||


Shikshapatri Shlok 10 ( શિક્ષાપત્રી શ્લોક ૧૦ )

તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ. ||૧૦||

Those who will violate the Hence forever, all my disciples do love and follow the commandments of this Shikshapatri vigilantly and do not violate them. ||10||